આ ઉપાયથી ગમે તેવી જિદ્દી કબજિયાત ગાયબ થઈ જશે

દોસ્તો સામાન્ય રીતે મોટાભાગના લોકોના શરીરમાં પેટ દ્વારા લોકોની શરૂઆત થતી હોય છે. જો તમે તમારા પેટને સાફ રાખી શકતા નથી તો તમે ઘણા બધા પ્રકારના રોગોનો શિકાર બની શકો છો.

તેનાથી વિપરીત જો તમારું પેટ એકદમ સાફ હશે તો તમારે કોઈપણ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડશે નહીં. જો આપણે પેટ સાથે જોડાયેલી બીમારીઓ વિશે વાત કરીએ તો તેમાં કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી વગેરે શામેલ છે.

આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કબજિયાત સાથે જોડાયેલી કેટલીક અસરકારક માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા છે તો તે વ્યક્તિ આ બધા ઉપાય કરીને આસાનીથી કબજિયાતથી છૂટકારો મેળવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઉપાયો કયા કયા છે.

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો તમારે પોતાના ભોજનમાં જાયફળનો સામેલ કરવું જોઇએ. હકીકતમાં જાયફળમાં એવા ગુણ મળી આવે છે, જે પેટમાંથી ખરાબ બેક્ટેરિયા ની બહાર કાઢે છે અને સારા બેક્ટેરિયા માં વધારો કરે છે. જેથી કરીને કબજિયાતમાં સારુ પરિણામ મળી શકે છે.

આ ઉપરાંત તમારે કબજીયાતની સમસ્યા દૂર કરવા માટે દરરોજ રાતે સૂતા પહેલાં 1 ગ્લાસ પાણી ગરમ કરી લેવું જોઇએ અને તેમાં ચપટી હરડે પાઉડર ઉમેરવો જોઈએ. ત્યારબાદ તેને ચમચી વડે બરાબર હલાવી ને તેનું સેવન કરવું જોઈએ. જો તમે થોડાક દિવસ સુધી આ ઉપાય કરશો તો તમારું કબજીયાતની સમસ્યા દૂર થશે અને પેટ પણ એકદમ સાફ થઈ જશે.

જો તમે રાતે સુતા પહેલા સંતરા ખાવાની આદત બનાવી લો છો તો પણ તમે કબજીયાતથી છુટકારો મેળવી શકો છો. કારણ કે સંતરામાં ફાઇબર મળી આવે છે, જે પાચન શક્તિમાં વધારો કરે છે અને કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે.

આજ ક્રમમાં જો તમે દરરોજ સવારે અને સાંજે આમળા ખાવ છો તો પણ તમને રાહત મળે છે. જો કે તમારે એ વાતની કાળજી રાખવી જોઈએ કે આમળાને હંમેશા ભોજન કર્યા પછી ખાવા જોઈએ. જેનાથી ભોજન કરેલો ખોરાક પચી જાય છે અને કબજિયાતથી રાહત મળે છે.

જો તમે એક ચમચી લીંબુના રસમાં સિંધવ મીઠુ ઉમેરીને તેને ગરમ પાણીમાં મિક્સ કરી લો છો અને બરાબર હલાવી તેનું સેવન કરો છો તો પેટ એકદમ સાફ થાય છે અને કબજિયાતથી છૂટકારો મળે છે.

જો તમે કબજીયાતથી કાયમી ધોરણે રાહત મેળવવા માંગતા હોય તો તમારે સવારે અને સાંજે ગરમ પાણી પીવાની આદત બનાવી લેવી જોઇએ. કારણ કે ગરમ પાણીનું સેવન કરવાથી આંતરડા અને પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા નો નાશ થાય છે અને અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે, જેથી કરીને આપણને રાહત મળી શકે છે.

Leave a Comment