દોસ્તો મોટાભાગના લોકોને ચા પીવાનું પસંદ હોય છે. આજ કારણ છે કે આવા લોકો ઉઠતાની સાથે જ ચા પીવા માટેની ઈચ્છા રાખતા હોય છે પરંતુ ચાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ જો તમે દૂધની ચાને બદલે લેમન ટીનું સેવન કરો છો તો તેનાથી તમારા સ્વાસ્થ્યને વધુ ફાયદો થાય છે. કારણ કે લીંબુ ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેથી લેમન ટી પીવાથી ઘણા રોગો દૂર થાય છે.
લેમન ટીમાં વિટામિન સી, થિયામીન, નિયાસિન, રિબોફ્લેવિન, વિટામિન બી-6, વિટામિન ઇ અને ફોલેટ જેવાં વિટામિન્સ હાજર હોય છે. આ સાથે જ લેમન ટીમાં એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તદ્દન નફાકારક સાબિત થાય છે પરંતુ લેમન ટી પીવાના ઘણા ફાયદા છે. તો ચાલો આપણે જાણીએ કે લેમન ટી પીવાના ફાયદા કયા કયા છે.
લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, તેથી લેમન ટીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેના દ્વારા તમે વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બનવાથી ઘણી હદ સુધી બચી શકો છો.
જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે લેમન ટી લેવી જોઈએ. કારણ કે લેમન ટીમાં આવા ઘણા તત્વો મળી આવે છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
શરદીની ફરિયાદમાં લેમન ટીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લેમન ટીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો જોવા મળે છે, જે શરદી અને ગળામાં ખરાશની ફરિયાદને દૂર કરવામાં મદદ કરે છે.
લેમન ટીનું સેવન કરવાથી શરીરમાં રહેલા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, જેના કારણે તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. લેમન ટીમાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે, તેથી તેનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
લેમન ટીના સેવનથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તેની સાથે ત્વચા પર ગ્લો પણ આવે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ માટે લેમન ટીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે લીંબુમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
લેમન ટીનું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ ઓછું થાય છે. કારણ કે લીંબુમાં કેન્સર વિરોધી ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
જોકે લેમન ટીનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે. આ સાથે લેમન ટીનું વધુ પડતું સેવન દાંતને નુકસાન પહોંચાડે છે. વળી સગર્ભા સ્ત્રીઓએ લેમન ટીનું સેવન ન કરવું જોઈએ.