દોસ્તો આજના વિશેષ લેખમાં અમે તમને કરેણના પાન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે કરણના ફૂલ ઔષધીય ય ગુણોથી સમૃદ્ધ હોય છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જેના લીધે તેનો ઉપયોગ કરીને તમે ઘણી બધી બીમારીઓથી છુટકારો મેળવી શકો છો. આ સાથે કરણ ના પાંદડા પણ દવાની જેમ કામ કરે છે. તેની અંદર ઘણા બધા ગુણો રહેલા હોય છે.
જો તમે કરણ ના પાંદડા નો લેપ બનાવીને તેનો ઉપયોગ કરો છો તો તમને ચામડી સાથે જોડાયેલા રોગો થવાનો ભય રહેતો નથી. આવી સ્થિતિમાં આ લેખમાં અમે તમને કરણ ના પાનનો ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે, તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
જો તમારે ત્વચા સંબંધી કોઈ સમસ્યા જેમકે ધાધર, ખંજવાળ, ખરજવુ વગેરેનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે કરણના પાન નો લેપ બનાવી લેવો જોઇએ અને તેનો ઉપયોગ અસરગ્રસ્ત જગ્યાએ લગાવી દેવું જોઈએ.
કારણ કે કરેણ ના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે, જે ધાધર અને ખરજવા ના બેક્ટેરિયા ને મારી નાખી ત્વચાને રિપેર કરવામાં મદદ કરે છે. જો તમે તેને લાંબા સમય માટે તેનો ઉપયોગ કરો છો તો તમને ત્વચા સંબંધી સમસ્યાથી છુટકારો મળી શકે છે અને ધાધર ની સમસ્યા દૂર થઈ જાય છે.
જો તમને સાંધાના દુખાવાની સમસ્યા થઈ રહી હોય તો પણ તમે કરણ ના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે કરેણ ના પાનનો લેપ બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તવમાં તેમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો મળી આવે છે.
જે સાંધાના દુખાવાની સમસ્યા દૂર કરીને સોજો આવવાની સમસ્યાથી છુટકારો અપાવે છે. કરણ ના પાંદડા નો લેપ હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. જેથી કરીને શરીરમાં હાડકા દુખાવાની સમસ્યા પણ થતી નથી.
આ લેપ બનાવવા માટે તમારે કરણ ના તાજા પાંદડા ને વાટી લેવાં જોઇએ અને તેમાં થોડું જૈતુન તેલ મિક્સ કરી લેવું જોઇએ અને તેને ગરમ કરી અસરગ્રસ્ત જગ્યાએ લગાવવું જોઈએ.
જો તમે કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને તમે તેનો ડાઘ દૂર કરવા માંગતા હોય તો તમારે કરણ ના પાનનો લેપ ઉપયોગ કરવો જોઈએ. વળી તમને કોઈ જગ્યાએ વાગ્યું હોય અને રૂઝ આવી રહી નથી તો પણ તમે કરણના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
હકીકતમાં તેમાં મળી આવતા એન્ટિસેપ્ટિક ગુણ ઘા મટાડવામાં ખૂબ જ મદદ કરે છે. જો તમે કારણ ના પાનનો લેપ બનાવી તેનો એલોવેરા જેલ મિક્સ કરી લો છો અને તેની અસરગ્રસ્ત જગ્યાએ લગાવો છો તો તમને બહુ જલદી ફાયદા જોવા મળી શકે છે.
જ્યારે તમને ત્વચા પર ખંજવાળ ની સમસ્યા થઈ ગઈ હોય તો પણ તમે આ લેપનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં કરણ ના પાંદડા ના લેપ માં ખંજવાળ મટાડવાના ગુણ મળી આવે છે. જેનાથી ત્વચા એકદમ શાંત બની જાય છે અને ખંજવાળની સમસ્યા થી રાહત મળે છે.
જો તમને કોઈ શરીરના કોઈ અંગ ઉપર જીવ જંતુ કરડ્યું હોય તો પણ તમે કરેણ ના પાંદડાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેમાં મળી આવતા એન્ટી બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સમસ્યાને દૂર કરે છે.
આ માટે તમારે કરેણ ના પાંદડાને નારિયેળ તેલમાં મિક્ષ કરીને તેમાં મરી પાવડર મેળવી લેવો જોઈએ અને તેને ત્વચા ઉપર લગાવવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારે ત્વચા પર જીવજંતુ કરડવા ની ખરાબ અસર થશે નહીં.